પ્રેમ એ જીવનનું સૌથી સુંદર અનુભવ છે, પણ જ્યારે પ્રેમ અધુરો રહી જાય, ત્યારે તે હ્રદયમાં એક અનોખો તીવ્ર ભાવ જગાવે છે. અધૂરા પ્રેમની અનુભૂતિ આપણા જીવનમાં ઊંડે સુધી દબાયેલી લાગણીઓને છંછેડે છે અને આ લાગણીઓ ક્યારેક શબ્દોમાં ઊતરીને શાયરીના રૂપમાં પ્રગટ થાય છે.
ગુજરાતી ભાષામાં અધુરો પ્રેમ શાયરી એ પ્રેમની વ્યથા, યાદોની કશ્મકશ અને મનમાં ઉથલપાથલ કરતી ભાવનાઓને અભિવ્યક્ત કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. આ લેખમાં, તમે જાણી શકશો કેટલીક સરસ અધુરો પ્રેમ શાયરી, જે હ્રદયને સ્પર્શે અને તમારી ભાવનાઓને સાચી ઓળખ આપે.
ચાલો, અધુરો પ્રેમ શાયરીની આ લાગણીસભર સફર શરૂ કરીએ!
અધુરો પ્રેમ શાયરી (adhuro prem shayari in gujarati)
કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,
વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??
ગમે તેવું અમૂલ્ય હોય,
જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,
જેમનો પ્રેમ અધુરો હોય છે,
એમની કહાની ખુબ સુંદર હોય છે.
બસ, એટલા માટે જ પ્રેમ અધુરો રહ્યો મારો,
મને એની ચિંતા હતી એને દુનિયાની
“હું તને પામવા ઝંખતો રહ્યો,
તું મને ભૂલવાની વાત કરતી રહી.
મારું દિલ તારા નામે જીવતું રહ્યું,
પણ તું અલગ દુનિયા રચતી રહી.”
પ્રેમ કર્યો પણ પામવું ન મળ્યું,
મારું મન રોજ એકલુ થયું.
સપનામાં તારો ચહેરો જોવામાં જીવી ગયો,
પણ તારા હકીકતના સ્પર્શથી વંચિત રહ્યો.
હવાઓમાં આ તારું નામ ગુંજાય છે,
મારા હર શ્વાસમાં તારા યાદના નગમા વાગે છે.
પ્રેમ તો મરજી હતી,
પણ તારા વગર જીવવું મારી ફરજ છે.
તારા વિના આ દુનિયા અધૂરી લાગે છે,
મારા માટે હજી પણ તું જરૂર છે.
જીવનના આ રસ્તાઓ પર,
મને તારી સાથે ચાલવાની ઝંખના છે.
અધૂરા પ્રેમની કથા એવી છે,
કે આંખો ભરી આશાઓની લહેર એવી છે.
સપનામાં તું છે, હકીકતમાં તું નથી,
પણ દિલને હજીયે તારા આગમનની ભ્રમ છે.
Must Read : ગુજરાતી શાયરી લખેલી
ઈજ્જત વગરનો પ્રેમ, હંમેશા અધુરો રહી જાય છે !!
રાત્રે રડી ને સુઇ જવું અને સવારે કોઇ ને ખબર પણ ના પડવા દેવી,
આ હુન્નર તો માત્ર અધુરો પ્રેમ જ શિખવાડી શકે છે.
પ્રેમ નાં પુસ્તક માં,
તમે એક તથ્ય ઉમેરી દેજો….
વિરહ વગર પ્રેમ અધુરો,
એ સત્ય ઉમેરી દેજો….
પ્રેમ બેહદ હોવો જોઈએ..
અધુરો કે પુરો એ પછીની વાત છે..
“પ્રેમ એટલે પ્રેમ”
વ્યાખ્યા આપવાની ક્ષમતા આપણાં જ્ઞાનની ક્ષમતા ઉપર આધાર રાખે છે…
એક શબ્દ પણ પુરતો છે અને
ગ્રંથ લખાય તો પણ અધુરો છે…!!!
Must Read : પ્રેમ ભરી શાયરી
અધુરો છે મારો પ્રેમ તારા નામ વિના,
જેમ અધૂરી છે રાધા તેના શ્યામ વિના..!

પ્રેમ ક્યારેય અધુરો રહેતો જ નથી,
અધુરી રહી જાય છે તો બસ એકબીજા
સાથે રહેવાની ઈચ્છા !!
રાત્રે ઊંઘ અધૂરી રહી જાય તો આખો દિવસ આંખો બળે,
તો આતો અધુરો પ્રેમ છે દિલ કેમ ના બળે…..
બેશક પ્રેમ અધુરો રહ્યો ,
પણ બદનામી પુરેપુરી થઇ છે ! !
પ્રેમ ના પુસ્તક મા એક લાગણી ઉમેરી દેજો …
વિરહ વગરનો પ્રેમ અધુરો છે એ સત્ય ઉમેરી દેજો…
પ્રેમ અધુરો રહી જાય તો ખુદ પર નાઝ કરજો,
કહેવાય છે કે સાચો પ્રેમ પૂરો થતો જ નથી.
Must Read : ગુજરાતી સુવિચાર અર્થ સાથે
લાગણી અને સંવેદના વગર પ્રેમ અધુરો છે
મળે જો સાથે બન્ને તો સાથ મધુરો છે..

“બેવફા” આ “જીંદગી”ના નામે એક “દાદ” થઇ જાય. . .
અધુરો છે એક “પ્રેમ”
એના નામે પણ આજે એકાદ “વાહ” થઇ જાય. . .
પ્રેમ માં મીઠી વેદના મળી એ બહુ છે,
સ્વપ્નો ને નવી દિશા મળી એ બહુ છે..
પ્રેમ પૂરો થયો કે અધુરો રાય્હો વાત એ નથી
પણ પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે…
બસ આ અધુરો પ્રેમ જ છે જે જીવાડી રહ્યો છે,
બાકી શોખ તો અમે ક્યારનાય પતાવી દીધા છે..!!
હું માવઠું બની અચાનક તને આલીંગન આપું
કે અનરાધાર વરસીને હેત,
ઋતુએ ઋતુએ તું સ્વભાવ બદલે
મને સમજાય નહિ,
અને દર ઋતુએ રહે અધુરો મારો પ્રેમ.
ખુદ કૃષ્ણ ને ઉદાહરણ બનવું પડ્યું,,
અધુરો પ્રેમ રાખવા પાછળ નું કારણ ખરેખર મોટું હશે..
પ્રેમ ભલે અધુરો રહ્યો
પણ કૃષ્ણ તો રાધાનો જ રહ્યોએને મન ન વસી કોઈ રાણી
એનો જીવ તો રાધામા જ રહ્યોજગતને જેણે પ્રેમ શીખવ્યો
એ કાન જ એની રાધા વિના સુનો રહ્યોગોકુળની ગલીઓ ને દ્વારિકાનો પટ
રાધાની યાદોમાં ગુંજતો રહ્યોપ્રેમ ભલે અધુરો રહ્યો
પણ કૃષ્ણ તો રાધાનો જ રહ્યો
બધાને પોતાનો પ્રેમ મળે એ જરૂરી તો નથીં ,
કારણ કે ઉદાહરણ તો હંમેશા અધૂરા પ્રેમ ના જ અપાય છે…
ઓ હૃદય તેં પણ ભલા કેવો ફસાવ્યો છે મને
જે નથી મારાં બન્યાં એનો બનાવ્યો છે મને.! – બેફામ
અસ્તિત્વ ના ઉજરડાં આમ જ રહી ગયા,
એ કોરોના ના બહાને ઘરભેગા થઈ ગયા…..

અધુરો પ્રેમ પણ ક્યારેક ભાગાકાર જેવો હોય છે,
એમાં દાખલો પતી જાય તો પણ કયારેક શેષ વધતી હોય છે,
એ “શેષ” કાયમ રિકતતા બની ડંખ્યાં કરે.બધા બહુ હોશિયાર હતા, હું જ એક ડોબો નીકળ્યો,
જેમાં ભરી લાગણીઓ, એ ખાલી ખોબો નીકળ્યો.
Must Read : happy birthday wishes for wife in gujarati
અધુરો પ્રેમ એ જીવનની એવી અનુભૂતિ છે, જે હ્રદયને તીવ્ર લાગણીઓથી ભરપૂર કરે છે. આ શાયરીઓમાં લાગણીઓના ઊંડાણ અને મૌન યાદોને શબ્દોના રૂપમાં પ્રગટ કરવાની અદભૂત ક્ષમતા છે.
અધૂરા પ્રેમની અનુભૂતિ દર્દ અને સ્નેહ વચ્ચેનું સંઘર્ષ છે, જે આપણું મન મૃદુ બનાવે છે અને પ્રેમને નવી ઉંચાઈઓ સુધી પહોંચાડે છે. આ શાયરીઓ ફક્ત શબ્દો નથી, તે પ્રેમીઓના દિલની વાર્તા છે, જે દરેક પાનાં પર એક નવી લાગણી ચિતરાવે છે.
તમારા જીવનમાં જો અધૂરા પ્રેમની કોઈ ઝાંખી રહી હોય, તો આ શાયરીઓ સાથે તમારું દિલ હળવું કરી શકો છો. યાદ રાખો, પ્રેમ અધુરો હોય કે પુરો, તે હંમેશા આપણા જીવનમાં સુંદર સ્મૃતિઓ અને અનુભૂતિઓ છોડી જાય છે.
“પ્રેમ ક્યારેય પૂર્ણ થવું જરુરી નથી, તેને તો ફક્ત સાચવવું જરુરી છે.”